એક મનનીય વાત – On FB by S. P. Ashal

સુજ્ઞ ‘માનવધર્મ’ વાચકો,

આ લેખ વાંચતા માત્ર 37 સેકન્ડ લાગશે અને તમારો વિચાર બદલાઈ જશે ..

બે પુરુષો ગંભીરપણે બીમાર હતા અને બેઉને એક જ રૂમમાં રાખ્યા હતા..

એક માણસને તેના ફેફસામાંના પ્રવાહી કચરાના નિકાલ માટે દર બપોરે એક કલાક માટે તેમના પલંગમાં બેઠા થવાની પરવાનગી આપવામાં આવી હતી.

રૂમમાં ફક્ત એક જ બારી હતી અને તેની પાસે આ ભાઈનો પલંગ હતો.

જ્યારે બીજા માણસને હંમેશા લાંબા થઇને સૂતા જ રહેવું પડતું.

આ બન્ને કલાકો સુધી વાતો કર્યા કરતા.તેઓ તેમનાં પત્ની, પરિવાર, ઘર, નોકરી, તેઓ વેકેશનમાં ક્યાં ક્યાં ફરવા જતા વગેરે વિશે વાતો કરતા ..

દરરોજ બપોરે, જ્યારે પહેલો માણસ બેઠો થતો ત્યારે બેઠાં બેઠાં બીજા દર્દી આગળ  બારીની બહારની દુનિયાંનું વર્ણન કરતાં સમય પસાર કરતો. બપોરનો આ એક કલાક બીજા માણસ માટે જાણે જીવંત બની જતો અને તેની દુનિયા હૉસ્પિટલના રૂમ સુધી સીમિત ન રહેતા બહારના વિશ્વ સુધી પહોંચતી…

“બારીની બહાર એક સુંદર બગીચો અને તળાવ છે. તળાવમાં બતક અને હંસ રમે છે. બીજી તરફ બાળકો કાગળની હોડી બનાવીને રમે છે. વિવિધ રંગનાં ફૂલો વચ્ચે પ્રેમી યુગલો હાથમાં હાથ નાખીને ચાલી રહ્યાં છે અને દૂર ક્ષિતિજ સુધી વિશાળ આકાશનું નયનરમ્ય દૃશ્ય નજરે ચડે છે…” પહેલો માણસ જ્યારે આવું વર્ણન કરતો ત્યારે બીજો માણસ પોતાની આંખો બંધ કરીને કલ્પનામાં આ બધુ નિહાળતો.

એક ઉષ્માભરી બપોરે પહેલા માણસે નજીકથી પસાર થતી પરેડનું વર્ણન કર્યું. જોકે બીજા માણસને પરેડ બેન્ડનો અવાજ સંભળાતો નહોતો, પરંતુ તે પોતાની કલ્પનામાં આ દૃશ્ય  જોઈ શકતો હતો.

આ રીતે દિવસો અને મહિનાઓ પસાર થવા લાગ્યા….

એક દિવસ સવારે, નર્સ તેમના સ્નાન માટે પાણી લાવી અને જોયું તો પહેલી વ્યક્તિ ચિર નિદ્રામાં પોઢી ગઈ હતી પલંગ પર ફક્ત તેનું ફક્ત નિર્જીવ શરીર પડ્યું હતું.

નર્સને અત્યંત દુખ થયું અને હોસ્પિટલ એટેન્ડન્ટ્સને બોલાવી શરીર લઈ જવા માટે કહેવામાં આવ્યું.

બારી પાસેનો પલંગ ખાલી પડયો !

થોડા દિવસો પછી…બીજા વ્યક્તિએ પોતાને બારી પાસેનાં પલંગ પર ખસેડવાની ઇચ્છા વ્યક્ત કરી. નર્સે પણ ખુશી ખુશી તેમને ત્યાં ખસેડવાની વ્યવસ્થા કરી અને જતાં રહ્યા.

હવે આ વ્યક્તિએ ધીમે ધીમે, થોડું કષ્ટ કરીને, બારી પાસે બેઠા થવાની કોશિશ કરી. એક હાથની કોણી ટેકવી તેમણે બહારની વાસ્તવિક દુનિયાનો પ્રથમ દેખાવ લેવા માટે પોતાની નજર ફેરવી અને જોયું તો શું?

બારીની સામે ફક્ત એક દિવાલ હતી. તેને કંઈ સમજાયું નહીં. તેણે નર્સને પૂછ્યું,  પહેલી વ્યક્તિ શા માટે બારીની બહાર અદ્ભુત વસ્તુઓનું વર્ણન્ કરતો હતો? – જ્યારે અહીં તો ખાલી દિવાલ જ છે!

નર્સે કહ્યું “પેલો માણસ અંધ હતો અને આ દિવાલ પણ જોઈ ન શકતો, તે તો ફક્ત તમને પ્રોત્સાહિત કરવા માગતો હતો!”

ઉપસંહાર:

બીજાને ખુશ કરવા એ સૌથી મોટું સુખ છે, પછી આપણી પરિસ્થિતિ ગમે તે હોય! * દુઃખ વહેંચવાથી અડધું થાય છે, અને સુખ વહેંચવાથી બમણું થાય છે. તમારે સમૃદ્ધિનો અનુભવ કરવો હોય તો તે વસ્તુઓની ગણતરી કરો જે તમારી પાસે છે અને પૈસાથી ખરીદી નથી શકાતી!”

આજ તો સૌગાદ છે તેથી જ તો તેને “Present” કહેવાય છે.

મિત્રો સાથે શેર કરો… તમે પણ ઓછામાં ઓછું એક જીવન તો બદલી જ શકો છો!‪#‎suresh_Ashal‬

– વલીભાઈ મુસા (સંપાદક)

* સ્વીડનની કહેવત : “Shared joy is a double joy; shared sorrow is half a sorrow.”

Leave a comment